નમસ્તે મિત્રો, ગુજરાતમાં જ્યારે સેવા અને મનોરંજનની વાત આવે ત્યારે એક જ નામ મોખરે આવે છે – નીતિન જાની (Nitin Jani), જેમને આખું ગુજરાત લાડથી ‘ખજૂરભાઈ (Khajurbhai)’ તરીકે ઓળખે છે. એક સામાન્ય કોમેડી કન્ટેન્ટ ક્રિએટરથી શરૂ કરીને હજારો લોકોના ઘર બનાવનાર ‘મસીહા’ બનવા સુધીની તેમની સફર અત્યંત પ્રેરણાદાયક છે.
આજના આ સ્પેશિયલ બ્લોગમાં આપણે Nitin Jani Wikipedia-સ્ટાઈલ માં વિગતો સાથે તેમનું જીવન, ખજુરભાઈ ઉંમર (Nitin Jani age), ખજુર ભાઈ વાઈફ (Nitin Jani wife ), ખજુર ભાઈ ફેમિલી(Nitin Jani family), ખજુર ભાઈ ધર્મ (Nitin Jani religion), ખજુર ભાઈ ના ભાઈ તરુણ જાની (Nitin Jani brother) , નીતિન જાની ફિલ્મો (Nitin Jani movies), ખજુર ભાઈ નેટ વર્થ(Khajur bhai net worth ),અને બધું ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
નીતિન જાની (Nitin Jani), જેને આખું ગુજરાત ખજૂરભાઈ (Khajurbhai) તરીકે ઓળખે છે, ખજૂરભાઈ નો જન્મ (Khajurbhai BirthDate) ૨૪ મે ૧૯૮૬માં સુરતમાં થયો હતો. ખજૂરભાઈ એક મોટા પરિવારમાં (Khajurbhai family) જન્મ્યા – ચાર ભાઈઓ (અરુણભાઈ (Arunbhai), વરુણભાઈ (Varunbhai), નીતિનભાઈ (Nitinbhai) તથા તરુણભાઈ(Tarunbhai)) અને ત્રણ બહેનો (મનીષાબેન (Manishaben), આશાબેન (Ashaben), વર્ષાબેન (Varshaben)) સાથે સાત બાળકોનું કુટુંબ. પિતા એક વિધિસરના બ્રાહ્મણ અને ધાર્મિક વક્તા હતા જેઓ ૧૯૯૦ના દાયકામાં વિદેશમાં પણ ધર્મપ્રવચન કરવા જતા. માતા મંજુલાબેન (Manjula Ben) ઘરની સંભાળ રાખતા ગૃહિણી હતા. પિતાએ બધા બાળકોને રાજા-રાણીની જેમ ઉછેર્યા, પરંતુ કડક શિસ્ત સાથે – ક્યારેય મારપીટ નહીં, માત્ર શબ્દો અને મૂલ્યો દ્વારા.

બાળપણમાં નીતિન અભ્યાસમાં (Nitin Education)બહુ સારા નહોતા. તેઓ છેલ્લી બેન્ચ પર બેસતા અને શિક્ષકો ભણાવતા હોય ત્યારે મોઢેશ્વરીની દુકાનેથી ખમણ અને સેન્ડવિચ ખરીદીને સાથેના વિદ્યાર્થીઓને વહેંચતા. પોતે ભૂખ્યા રહી જાય તો પણ બીજાને ભૂખ્યા ન રહેવા દે – આ વિચાર તેમના અંતરમાંથી આવતો. શાળા બંધ કરીને કેનાલમાં તરવા જવું, શરારતો કરવી – આ બધું તેમનું રોજિંદું હતું. છતાં આજે પણ તેઓ પોતાના શિક્ષકો અને પ્રિન્સિપાલ સાથે સંપર્ક જાળવી રાખે છે. તેમના મનમાં બાળપણથી જ પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન હતું, પરંતુ કલાકાર બનવાની કોઈ યોજના નહોતી. કહેવાય છે કે, “કલાકાર બનવું તો નસીબમાં લખેલું હતું.”
સુરતમાં ૧થી ૧૨ સુધીનું શિક્ષણ પૂરું કર્યા પછી બાર્ડોલીમાં ગ્રેજ્યુએશન (Graduation), પુણેમાં MCA અને પાંચ સેમેસ્ટર LLB તેમજ MBA પણ પૂર્ણ કર્યા. શિક્ષણ પૂરું થયા પછી તેઓ IT કંપનીમાં જોડાયા અને માસિક ૭૦,૦૦૦ રૂપિયા સુધીની સેલરી મેળવતા હતા. પરંતુ દિવસમાં ૯ કલાક કમ્પ્યુટર સામે બેસવું તેમને ન ગમ્યું. તેઓ માણસો સાથે વાત કરવા, ફરવા અને કામ કરવા માંગતા હતા.
આરતી સંગાણી વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Singer Aarti Sangani Biography in Gujarati
૨૦૧૨-૧૩માં તેઓએ IT જોબ છોડી દીધી અને લોનાવલામાં બિગ બોસના શૂટિંગમાં પ્રોડક્શન વર્ક શરૂ કર્યું – પગાર માત્ર ૧૭,૦૦૦. પિતાએ એક જ પ્રશ્ન પૂછ્યો અને સપોર્ટ કર્યો: “પોતાના પગ પર ઊભા રહે, ધન ન ભેગું કર, બીજાને મદદ કરવા ખર્ચ કર.” ૨૦૧૫માં તેમનો પહેલો વીડિયો “ગાર્બેજ ડિસ્પ્યુટ” (Garbage dispute) વાયરલ થયો. ગુજરાતમાં પતિ-પત્ની કોમેડીના (khajurbhai Pati Patni Comedy) પાયાના સ્થાપક તરીકે તેઓ જાણીતા થયા. શરૂઆતમાં લોકોનો વિરોધ થયો, પરંતુ તેઓએ હાર ન માની.

“ખજૂર” નામની ઉત્પત્તિ સિંગાપોરના મોલમાં ખજૂર ના પેકેટ સાથે થઈ અને ભાઈ તરુણે તેને વીડિયો માટે સૂચવ્યું. ૧૧,૦૦૦થી વધુ વીડિયો બનાવ્યા છે – દુબઈની ૫૫ ડિગ્રી ગરમીમાં પણ શૂટિંગ કર્યું. ૨૦૧૮માં તેમણે ગુજરાતી ફિલ્મ “આવુજ રહેશે” ડાયરેક્ટ કરી જેમાં યતિન પરમાર, મેહુલ કજારિયા જેવા કલાકારો હતા. તરુણ જાની (Tarun Jani) સાથે બાહુબલી જેવું ફિલ્મ ગુજરાતી માં બનાવવાની ઈચ્છા છે
તેમના ચેનલ્સ – “ખજુરભાઈ (Khajurbhai)” અને “ખજૂરભાઈ વ્લોગ્સ (Khajur Bhai Vlogs)” – આજે કરોડો વ્યૂઝ અને લાખો સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. પાંચ સિલ્વર અને ત્રણ ગોલ્ડ યુટ્યુબ પ્લે બટન મેળવ્યા.
આજે તેઓ ખજૂરભાઈ સિંગતેલ (Pure Groundnut Oil) અને ખજૂરભાઈ મસાલા (Khajurbhai Masala) જેવા બ્રાન્ડ પણ ચલાવે છે જે ગુજરાતી પરંપરા અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
૨૦૨૧ના કોરોના સમયમાં નીતિન જાનીએ (Nitin Jani) પોતાની સોશિયલ મીડિયા આવકનો મોટો ભાગ અસરગ્રસ્ત પરિવારોને આપ્યો. માઈગ્રન્ટ મજૂરોને ઘર પાછા મોકલવા, રાશન વહેંચવા – બધું ચુપચાપ કર્યું. જ્યારે કેટલાકે કહ્યું “તમે કંઈ કર્યું નથી”, ત્યારે તેઓએ વીડિયો બનાવીને સેવા દર્શાવવાનું શરૂ કર્યું જેથી બીજા પ્રેરિત થાય.
૨૦૨૧ના તૌક્તે વાવાજોડા (Tauktae Cyclon) પછી એક વૃદ્ધ માતાએ કહ્યું, “રાશન તો ઠીક છે, પરંતુ મારું ઘર તો ઊડી ગયું છે!” આ વાક્યે નીતિનને હચમચાવી દીધા. તેમણે વચન આપ્યું અને એક ઘરથી શરૂ કરીને આજે ૩૭૫થી વધુ કાયમી ઘરો બાંધી દીધા છે. શરૂઆતમાં ૪૦,૦૦૦ના ટીન શીટના આશ્રયથી આજે ૮-૧૦ લાખના પાકા મકાનો – રૂમ, કિચન, ટોઈલેટ, ટેરેસ અને પશુઓ માટે શેડ સાથે. સિંધાઈ, વેવલ જેવા ગામોમાં તાજેતરના સાયક્લોન પછી પણ ઘરો બાંધ્યા. તેઓ પોતે સાઈટ પર જઈને ચેક કરે છે અને કહે છે, “ભગવાન મદદ કરે તો ઘર પૂરું થઈ જાય છે.”
દેવાયત ખવાડ વિશે જાણવા અહીં ક્લીક કરો! - Devayat Khavad Biography in Gujarati
જાનિદાદા ફાઉન્ડેશન (Jani Foundation) દ્વારા તેઓ ગરીબોને ઘર, તબીબી સહાય, રાશન, વિધવાઓને સપોર્ટ, વૃદ્ધોને સહાય અને અનેક કાર્યો કરે છે. આવકનો મોટો ભાગ સેવામાં જ વાપરે છે. લોકો તેમને “ગુજરાતના સોનુ સુદ” કહે છે.

નીતિન જાની-ખજૂરભાઈ “Nitin Jani-Khajurbhai” નું વ્યક્તિગત જીવન પણ ઘણા ઉતાર-ચઢાવથી ભરેલું છે. વર્ષ ૨૦૧૮માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જાહેર કર્યું હતું કે તેમની પત્નીનું નામ વિધિ જાની છે અને તેઓ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર (આઈટી ફિલ્ડ)માં કામ કરે છે. આ વાત તેમણે “Vishesh with Dinesh” ચેનલના વીડિયોમાં સ્પષ્ટ શબ્દોમાં કહી હતી
પરંતુ આ લગ્ન પછીના વર્ષોમાં સંબંધો વિસર્જન પામ્યા. ડિસેમ્બર ૨૦૨૨માં તેમણે મીનાક્ષી દવે (Minaxi Dave) સાથે સગાઈ કરી અને ૮ ડિસેમ્બર ૨૦૨૩માં સાદગીભર્યા સમારોહમાં લગ્ન કર્યા. મીનાક્ષી તેમના સેવાકાર્યોમાં પણ સક્રિયપણે સાથ આપે છે અને આજે તેઓ ખજૂરભાઈના પત્ની (Khajurbhai Wife) તરીકે વ્લોગ્સમાં નિયમિત જોવા મળે છે.
પરિવારનું સમર્થન હંમેશા તેમની સાથે રહ્યું છે. ભાઈ તરુણ જાની (Tarun Jani) કન્ટેન્ટ અને વ્યવસાયમાં મદદ કરે છે અને ખજૂરભાઈ વારંવાર કહે છે કે “પરિવાર જ મારી તાકાત છે.”
લોકોને પ્રશ્ન થાય છે કે નીતિન જાની પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે?
૧. સોશિયલ મીડિયાની આવક: ફેસબુક અને યુટ્યુબ પરથી મળતી એડ રેવન્યુનો મોટો હિસ્સો તેઓ સેવામાં વાપરે છે.
૨. લોક ભાગીદારી: તેમના કામને જોઈને દુનિયાભરના ગુજરાતીઓ તેમને ડોનેશન આપે છે.
૩. સ્વયંસેવકો: તેમની પાસે હજારો યુવાનોની ટીમ છે જે કોઈપણ સ્વાર્થ વગર કામ કરે છે.

૨૦૨૫માં તેમણે વીડિયોમાં યુવાનોને રાજકારણમાં આવવા અપીલ કરી અને કહ્યું કે જો લોકો ઇચ્છે તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી લડી શકે છે. ૨૦૨૨માં ટિકિટની ઓફર આવી હતી પરંતુ તેમણે સેવા માટે નકારી. તેઓ માને છે કે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ જેથી સેવા વધુ મોટા સ્તરે થાય.
કિંજલબેન રબારી વિશે જાણવા અહીં ક્લીક કરો ! - Singer Kinjal Rabari Biography in Gujarati
કોઈ પણ વ્યક્તિ જેમ કે ખજૂરભાઈ જેટલી લોકપ્રિયતા મેળવે છે તેની આસપાસ વિવાદો પણ આવે છે. અમે તેને પણ વિગતવાર અને તટસ્થ રીતે સમજાવીએ છીએ:
૧. શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં કીર્તિ પટેલના (Kirti Patel) આરોપો (ઓક્ટોબર ૨૦૨૫):
પ્રભાવી કીર્તિ પટેલે (Kirti Patel) ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં દાવો કર્યો કે જેલમાં પૂજા શાહ (હાર્દિક શાહની પત્ની Hardik Shah Wife) સાથે વાત થઈ અને પૂજાએ કહ્યું કે નીતિન જાની માત્ર જાહેરાત નહીં પરંતુ આ સ્કેમમાં ૨૦% ભાગીદાર હતા. શાહ ઇન્વેસ્ટમેન્ટે સોશિયલ મીડિયા એડ્સ દ્વારા લોકોને ૧૨-૧૫% રિટર્નનું લાલચ આપીને કરોડોની ઠગાઈ કરી (સુરત અને ભાવનગરમાં ૧.૬૩ કરોડના કેસ). કીર્તિએ કહ્યું કે નીતિન જે પણ કંપનીની પ્રમોશન કરે તેમાં ભાગીદારી રાખે છે અને કરોડો કમાઈને સેવામાં દાન કરે છે. તેમણે ઠગાઈના ભોગવનારાઓને તેમનો સંપર્ક કરવા કહ્યું. આ આરોપો પછી નીતિન તરફથી કોઈ સાર્વજનિક જવાબનો ઉલ્લેખ નથી, પરંતુ આ તેમના રાજકારણમાં પ્રવેશ પહેલાં આવ્યું.
૨. લાલા આહિર (Lala Ahir) સાથેનો તાજો વિવાદ (માર્ચ ૨૦૨૬):
રાજકોટના ખોખલદળના લાલા આહિર (પહેલાં સપોર્ટર)એ વીડિયોમાં આરોપ લગાવ્યા કે નીતિન અને તરુણ જાનીએ સમાધાન માટે સાવરકુંડલા નજીક બોલાવ્યા અને ત્યાં યુવરાજ સહિત ૧૦-૧૨ લોકોએ તેમની મહિન્દ્રા થાર પર હુમલો કર્યો, તોડફોડ કરી અને ગેરવર્તણૂક કરી. લાલાએ કહ્યું, “નીતિન જાની ૫ લોકોનું સારું કરે છે પણ ૧૦નું ખરાબ કરે છે.” તેમણે બંને ભાઈઓનો જાહેર વરઘોડો કાઢવાની માગણી પણ કરી. આ વીડિયો વાયરલ થયો છે અને નીતિન તરફથી હજુ સ્પષ્ટતા આવી નથી.
આ વિવાદો હોવા છતાં ખજૂરભાઈના લાખો ફેન્સ તેમને સેવાભાવી તરીકે જુએ છે અને માને છે કે આરોપોની તપાસ થવી જોઈએ.

ખજૂરભાઈના લાખો Followers છે અને તેમના દરેક વિડિઓને લાખો લોકો જુએ છે
| પ્લેટફોર્મ | સંખ્યા (2026 મુજબ) | લિંક્સ |
| ઇન્સ્ટાગ્રામ | 6.1 M Followers | Nitin Jani Instagram |
| ફેસબુક | 2.9 M Followers | Nitin Jani Facebook |
| યૂટ્યૂબ | 29.5 Lakh subscribers | Nitin Jani Youtube |
ખજૂરભાઈએ બતાવ્યું કે હાસ્ય અને સેવા એકસાથે ચાલી શકે છે. તેઓ કહે છે, “સેવા એ નશો છે”, “ગુજરાતીઓ સરળતાથી ઝુકતા નથી – તેમનો આદર કરો”, “માતા-પિતાને જીવતાં સન્માન આપો”. તેમના ૬ મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ અને કરોડો વ્યૂઝ દર્શાવે છે કે લોકો તેમની સાથે જોડાયેલા છે.
ખજૂરભાઈ એટલેકે નીતિન જાની માત્ર કન્ટેન્ટ ક્રિએટર નથી, તેઓ ગુજરાતના સેવાભાવીનું જીવંત ઉદાહરણ છે. ૩૭૫+ ઘરો, અસંખ્ય જીવનોને સ્પર્શ, હાસ્યની વર્ષા અને સતત પ્રયાસ – આ બધું તેમને અદભુત બનાવે છે. વિવાદો હોય તો પણ તેમના સકારાત્મક કાર્યો અનેક ગણી વધારે છે. જો તમે પણ સેવા કરવા માંગો છો તો તેમના વ્લોગ્સ જુઓ, જાનિદાદા ફાઉન્ડેશનને સપોર્ટ કરો અને પોતાના ક્ષેત્રમાં પ્રયાસ કરો.

Q1.ખજુરભાઈ ની પત્ની (Khajurbhai Wife Name)નું નામ શું છે?
જવાબ: ખજૂરભાઈ (નીતિન જાની)ની વર્તમાન પત્નીનું નામ મીનાક્ષી દવે છે. તેઓએ 8 ડિસેમ્બર 2023માં સાવરકુંડલા નજીક સાદગીભર્યા સમારોહમાં લગ્ન કર્યા હતા. મીનાક્ષી તેમના સેવાકાર્યોમાં પણ સાથ આપે છે અને વ્લોગ્સમાં નિયમિત જોવા મળે છે.
Q2.ખજુરભાઈ ની પહેલી પત્ની (Khajurbhai First Wife Name) કોણ હતી?
જવાબ: ખજૂરભાઈએ 2018ના એક ઇન્ટરવ્યૂમાં (Vishesh with Dinesh ચેનલ પર) પોતાની પત્નીનું નામ વિધિ (Vidhi) તરીકે જણાવ્યું હતું, જે સિનિયર સોફ્ટવેર એન્જિનિયર હતી. પરંતુ આ લગ્ન પછીના વર્ષોમાં સંબંધો વિસર્જન પામ્યા.
Q3.ખજુરભાઈ ની ઉંમર (Khajurbhai Age) કેટલી છે?
જવાબ: ખજૂરભાઈ (નીતિન જાની)નો જન્મ 24 મે 1987માં થયો હતો. 2026માં તેમની ઉંમર 39 વર્ષ છે.
Q4.ખજુરભાઈ ની નેટ વર્થ (Khajurbhai Net Worth) કેટલી છે?
જવાબ: ખજૂરભાઈની અંદાજિત નેટ વર્થ ₹2 કરોડથી વધુ છે (2025-2026 અપડેટ). આમાં યુટ્યુબ આવક (2 ચેનલ્સ પર કરોડો વ્યૂઝ), બ્રાન્ડ્સ ખજૂરભાઈ સિંગતેલ અને મસાલા (Khajurbhai Singtel And Masala), ફિલ્મો અને સ્પોન્સરશિપનો સમાવેશ થાય છે. તેઓ આવકનો મોટો ભાગ જાનિદાદા ફાઉન્ડેશન અને સેવાકાર્યોમાં વાપરે છે.
Q5.ખજુરભાઈ નો પરિવાર (Khajurbhai Family) કેવો છે?
જવાબ: ખજૂરભાઈનો પરિવાર મોટો છે – ચાર ભાઈઓ (અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ, તરુણભાઈ) અને ત્રણ બહેનો (મનીષાબેન, આશાબેન, વર્ષાબેન). પિતા કથાકાર હતા. ભાઈ તરુણ જાની કન્ટેન્ટ અને વ્યવસાયમાં સાથ આપે છે. પત્ની મીનાક્ષી દવે પણ પરિવાર અને સેવામાં સક્રિય છે.
Q6.ખજુરભાઈ ની બાયોગ્રાફી (Khajurbhai Biography) શું છે?
જવાબ: નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ ગુજરાતના પ્રખ્યાત કોમેડિયન, યુટ્યુબર, એક્ટર અને સેવાભાવી છે. સુરતમાં જન્મેલા, IT જોબ છોડીને 2015માં યુટ્યુબ પર આવ્યા. “ખજુરભાઈ (Khajurbhai)” અને “ખજૂરભાઈ વ્લોગ્સ (Khajur Bhai Vlogs)” ચેનલ્સ પર કરોડો વ્યૂઝ. 2018માં ફિલ્મ “આવુંજ રહેશે” ડાયરેક્ટ કરી. તાઉક્તે સાયક્લોન પછી 375+ ઘરો બાંધ્યા. જાનિદાદા ફાઉન્ડેશન ચલાવે છે.
Q7.ખજુરભાઈ ની ફોટો (Khajurbhai Photo) અથવા વીડિયો (Khajurbhai Video) ક્યાં જોવા મળે?
જવાબ: તેમના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ “Khajur Bhai Vlogs” અને “Khajurbhai” પર નવા વીડિયો અને ફોટો મળે છે. ઇન્સ્ટાગ્રામ @nitinjani24 પર પણ અપડેટ્સ છે. લગ્નની તસવીરો News18 Gujarati અને VTV પર વાયરલ થઈ હતી.
Q8.ખજુરભાઈ નો ધર્મ (Khajurbhai Religion) શું છે?
જવાબ: ખજૂરભાઈ હિન્દુ ધર્મને અનુસરે છે (પરિવાર બ્રાહ્મણ છે, પિતા કથાકાર હતા).
Q9.ખજુરભાઈ ના ભાઈ (Khajurbhai Brother) કોણ છે?
જવાબ: ખજુરભાઈ ના ચાર ભાઈઓ (અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ, તરુણભાઈ) અને ત્રણ બહેનો (મનીષાબેન, આશાબેન, વર્ષાબેન).તેમના ભાઈ તરુણ જાની સૌથી સક્રિય છે – કન્ટેન્ટ, વ્લોગ્સ અને બિઝનેસમાં મદદ કરે છે.